વિચાર સરીતા

  • 04:03:43 pm on November 2, 2010 | 0

    બે બાબતો ..

    1. જરૂર કરતાં વધારે પામવાની મનોસ્થિતી અને

    2. જરૂર જેટલું જ મેળવવાની ક્રિયા પરનું નિયંત્રણ.

    સ્વાનુભવે એમ લાગે છે કે,

    લર્નીંગ સાથે પહેલી અને ત્યાર બાદ કરેલા લર્નીંગના અનલર્નીંગ સાથે બીજી સ્થિતી પર પહોંચી શકાય.
    ( કદાચ ફરીવાર વાંચવું પડે. )

    પહેલી સ્થિતી પર તો ટોળેટોળા … ઉમટી પડેલા જણાય છે.

    બીજી સ્થિતી પર પહોંચવા ‘માણસ’ માં માણસપણું સૌપ્રથમ સ્થાપિત થતું હશે. એ માટેનું પ્રેરકબળ ‘માણસ’ સીવાયની જીવ સૃષ્ટીમાંથી જ મળ્યાનું મને લાગે છે.

    ઓશોએ આને એન્કાઉન્ટર વીથ સેલ્ફ કહ્યું છે. ગાંધીજીએ પણ આ (સત્યના) પ્રયોગ કર્યા જ છે.

    વધતી જતી ભૌતિક સુવીધાઓ છતાં જરૂરીયાતો ઘટતી જણાય ત્યારે સાત્વિક, સાદું અને સ્વસ્થ જીવન આરંભાતું અનુભવાય છે.

     
Follow

Get every new post delivered to your Inbox.